વર્ષના મહત્વના દિવસો જાણવા માટે અહી ક્લિક કરો
સામાજિક વિજ્ઞાન અને શિક્ષણ ની સુંદર માહિતી આપતો હસમુખ પટેલ નો બ્લોગ
વિજ્ઞાનના વિવિધ એકમો (ભરત ચૌહાણ ના બ્લોગ માંથી સાભાર )
(રવીન્દ્ર સરવૈયા દ્વારા સંકલિત ....-સાભાર )
જાણવા જેવું :-માહિતી મેળવવા માટે અહી ક્લીક કરો
ગુણવંત શાહ
ગુણવંત શાહ | |
---|---|
જન્મની વિગત | ૧૨ માર્ચ, ૧૯૩૭ રાંદેર, સુરત, ગુજરાત, ભારત |
રાષ્ટ્રીયતા | ભારતીય |
નાગરીકતા | ભારતીય |
અભ્યાસ | પીએચ.ડી. |
વ્યવસાય | લેખક, નિબંધકાર, શિક્ષક |
ખિતાબ | રણજિતરામ સુવર્ણ ચંદ્રક (૧૯૯૭) |
ધર્મ | હિંદુ |
જીવનસાથી | અવંતિકા શાહ |
સંતાન | મનિષા, અમિષા, વિવેક |
માતા-પિતા | ભૂષણલાલ |
વેબસાઇટ http://gunvantshah.wordpress.com/ |
શાહ ગુણવંત ભૂષણલાલ (૧૨-૩-૧૯૩૭) (ગુજરાતી: ગુણવંત શાહ), એ ડૉ. ગુણવંત બી. શાહ તરીકે પણ જાણીતા છે, (૧૯૩૭માં રાંદેર,સુરત, ગુજરાતમાં જન્મ) તેઓ જાણીતા વિચારક, લેખક અને પત્રકાર છે.[૧][૨] ગુજરાતી સાહિત્ય સભા દ્વારા સ્થાપિત અને ગુજરાતી સાહિત્યમાં સૌથી ઉચ્ચ ગણાતો રણજીતરામ સુવર્ણ ચંદ્રક તેઓને ૧૯૯૭માં મળ્યો હતો. [૧]
અનુક્રમણિકા[છુપાવો] |
[ફેરફાર કરો]સવિશેષ પરિચય
ગુણવંત શાહ મુખ્યત્વે નિબંધકાર, ચરિત્રકાર, નવલકથાકાર છે.તેમનો જન્મ રાંદેર (સુરત)માં થયો હતો અને પ્રાથમિક શિક્ષણ રાંદેરમાં પુર્ણ કર્યુ હતુ.તેમણે માધ્યમિક શિક્ષણ સુરત ખાતે આવેલી જૈન હાઇસ્કૂલ માં લીધુ હતુ.તેમણે ૧૯૫૭માં રસાયણ વિષય સાથે બી.એસ.સી ની ઉપાધી મેળવી હતી. ઉપરાંત તેમણે ૧૯૫૯માં મ. સ. યુનિવર્સિટીમાંથી બી.ઍડ ની ઉપાધી મેળવી હતી. ત્યારબાદ તેમણે ત્યાંથી જ પછી એમ.ઍડ. અને પીએચ.ડી.ની ઉપાધી મેળવી હતી અને ૧૯૬૦થી ૧૯૭૨ સુધી મ. સ. યુનિવર્સિટીમાં રીડર રહ્યા હતા.તેઓ ૧૯૬૭-૬૮માં અમેરિકાની મિશિગન યુનિવર્સિટીમાં મુલાકાતી પ્રાધ્યાપક તેમજ ૧૯૭૨-૭૩માં ટેકનિકલ રિસર્ચ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યુટ, મદ્રાસમાં શિક્ષણ વિભાગના અધ્યક્ષ રહી ચૂક્યા છે.
તેમણે ૧૯૭૩-૭૪માં એસ. એન. ડી. ટી. યુનિવર્સિટી, મુંબઈમાં વિભાગીય અધ્યક્ષ તરીકે કામગીરી બજાવી હતી.તેઓ ૧૯૭૪થી દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના શિક્ષણ વિભાગના અધ્યક્ષ ર્હ્યા હતા. ઉપરાંત તેમણે ‘નૂતન શિક્ષણ’ના તંત્રી તરીકે પણ કાર્ય કર્યુ હતુ.
[ફેરફાર કરો]શિક્ષક તરીકે
- તેમણે ૧૯૬૧-૭૨ દરમિયાન વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ખાતે પ્રવક્તા અને વાચક તરીકે સેવાઓ આપી.[૧]
- વર્ષ ૧૯૬૭-૬૮ દરમિયાન તેમણે અમેરીકાની મિશિગન યુનિવર્સિટી ખાતે મુલાકતી પ્રાધ્યાપક તરીકે પણ કાર્ય કર્યુ.[૧]
- તેમણે ૧૯૭૨-૭૩ દરમિયાન તકનીકી શિક્ષક તાલીમ સંસ્થા, મદ્રાસ (જે હવે ચેન્નાઇ તરીકે ઓળખાય છે) માં પ્રાધ્યાપક તેમજ શિક્ષણ ખાતાનાં વડા તરીકે સેવાઓ આપી.[૩]
- વર્ષ ૧૯૭૩-૭૪ દરમિયાન તેમણે SNDT વિમેન્સ યુનિવર્સિટી બોમ્બે ખાતે (જે હવે મુંબઈ તરીકે ઓળખાય છે) પ્રાધ્યાપક તરીકે સેવા આપી. [૩]
- તેમણે દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સુરત ખાતે પ્રાધ્યાપક તરીકે તેમજ શિક્ષણ વિભાગનાં વડા તરીકે પણ સેવા આપી છે.[૧]
[ફેરફાર કરો]સાહિત્યને લગતા સર્જનાત્મક કાર્યો
- મહંત, મુલ્લા, પાદરી, ૧૯૯૯.[૪]
- કૃષ્ણનું જીવનસંગીત (મીન્સ 'રિધમ ઓફ લૉર્ડ કૃષ્ણ'ઝ લાઇફ') .[૫]
- વિચારોનાં વૃંદાવનમાં (મીન્સ 'ઇન ધ હેવનલી ગાર્ડન ઓફ થોટ્સ') [૫]
- અસ્તિત્વનો ઉત્સવ (મીન્સ 'સેલીબ્રેશન ઓફ એક્ઝિસ્ટન્સ') [૫]
- વિસ્મયનું પરોઢ(૧૯૮૦) (ગદ્યકાવ્ય)
- રજકણ સૂરજ થવાને શમણે(૧૯૬૮) ( નવલકથા)
- મૉટેલ (૧૯૬૮) ( નવલકથા)
- કોલંબસના હિંદુસ્તાનમાં (૧૯૬૬)( પ્રવાસ પુસ્તક )
[ફેરફાર કરો]નિબંધસંગ્રહો
- કાર્ડિયોગ્રામ (૧૯૭૭)
- રણ તો લીલાંછમ (૧૯૭૮)
- વગડાને તરસ ટહુકાની (૧૯૭૯)
- વિચારોના વૃંદાવનમાં(૧૯૮૧)
- મનનાં મેઘધનુષ(૧૯૮૫)
[ફેરફાર કરો]ચરિત્રગ્રંથો
- ગાંધી-નવી પેઢીની નજરે (૧૯૮૨)
- મહામાનવ મહાવીર (૧૯૮૬)
- કરુણામૂર્તિ બદ્ધ(૧૯૮૩)
[ફેરફાર કરો]પ્રકીર્ણ ગ્રંથો
- શિક્ષણની વર્તમાન ફિલસૂફીઓ (૧૯૬૪)
- સાવધાન, એકવીસમી સદી આવી રહી છે(૧૯૮૭)
- કૃષ્ણનું જીવનસંગીત(૧૯૮૭)
[ફેરફાર કરો]વર્તમાન જીવન
તેઓ હાલમાં જયપ્રકાશ નારાયણ રોડ (જે જૂના પાદરા રોડ તરીકે પણ જાણીતો છે), વડોદરામાં રહે છે. તેઓ હાલમાં દિવ્ય ભાસ્કર, એક પ્રમુખ ગુજરાતી Gujarati દૈનિક અને નવનીત સમર્પણ, એક પ્રમુખ ગુજરાતી સામયિકમાં લેખનકાર્ય કરી રહ્યાં છે.
[ફેરફાર કરો]પુરસ્કારો અને ઓળખ
- રણજિતરામ સુવર્ણ ચંદ્રક, ગુજરાતી સાહિત્યમાં સર્વોચ્ચ સાહિત્યિક પુરસ્કાર, ૧૯૯૭માં.[૧]
- ૧૯૭૯માં લેઇપઝિગ, પૂર્વ જર્મની ખાતે UNESCOનાં સેમિનારમાં તેમણે ભારતનું પ્રતિનિધિત્વ કર્યુ.[૩]
- તેઓ એશિયન ડેવલોપમેન્ટ બેન્ક, મનિલામાં બાંગ્લાદેશમાં શિક્ષણ માટે ૧૯૮૪-૮૫ દરમ્યાન કન્સલ્ટન્ટ હતા.[૩]
[ફેરફાર કરો]આ પણ જુઓ
[ફેરફાર કરો]વિશેષ વાંચન
- ગુફ્તગૂ ગુણવંત શાહ સાથે (ગુજરાતી), અમિષા શાહ દ્વારા, પ્રકાશક: આર. આર. શેઠની કંપની.. ISBN 8189919156. (ગુણવંત શાહ સાથે વાતચીત)
- ગુણવંત શાહ - ગુજરાતી સાહિત્ય પરિષદ પર
[ફેરફાર કરો]સંદર્ભ
- ↑ ૧.૦ ૧.૧ ૧.૨ ૧.૩ ૧.૪ ૧.૫ {{બેઝિક ઇન્ફર્મેશન અબાઉટ ગુણવંત શાહ}}
- ↑ ફેમ્ડ ગુજરાતી ઑથર ગુણવંત શાહ એન્ડ હિઝ ડૉટર અમિષા વેર.. ઇન્ડિયન એક્સપ્રેસ, જુલાઇ ૧૭, ૨૦૦૬.
- ↑ ૩.૦ ૩.૧ ૩.૨ ૩.૩ {{Basic Profle about Gunvant Shah from Wordpress}}
- ↑ ધ આર્ટીકલ, રિટન બાય અ નૉટેડ ગુજરાતી જર્નાલિસ્ટ એન્ડ રાઇટર, ગુણવંત શાહ.. ધ હિન્દુ, જૂલાઇ ૮, ૨૦૦૭.
- ↑ ૫.૦ ૫.૧ ૫.૨ {{પબ્લીકેશન્સ ઓફ ગુણવંત શાહ બાય આર. આર. શેઠ એન્ડ કં.}}